શુક્રવાર, 27 ડિસેમ્બર, 2019

જમીન ઉપરના હક્કોમાં તથા તેની એન્ટ્રી માં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે. AHMEDABAD 9426497770 / 079-40099917

જમીન ઉપરના હક્કોમાં તથા તેની એન્ટ્રી માં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે.

(૧) કૌટુંબિક મૌખિક વહેંચણી
(ર) મોહમેડન લો અન્વરયેની બક્ષીથી તથા જવેવેચાણ, વેચાણ રીલીઝ , બક્ષીસ, ગીર, શાનગીરો, શરતી વેચાણના રજીસ્ટીર્ડ દસ્તાચવેજથી
(૩) હક્કપત્રકમાં જે વ્યમકિતનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઇ હક્કથી અગર ગુજરનારના રજીસ્ટયર્ડ કે અનરજીસ્ટકર્ડ (છેલ્લાી) વીલથી પ્રાપ્તર કરનારની અરજીથી
(4) સક્ષમ મહેસૂલ અધિકારીઓના કે સરકારશ્રી નાં હુકમો અન્વ યે સરકારી જમીન કાયમી ધોરણે કોઇપણ વ્યનકિત ને કે સંસ્થા્ને ગ્રાન્ટો થવાથી
(પ) ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાથી
(૬) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલપાત્ર સત્તા પ્રકારના એટલે જુની શરતમાં ફેરવવાથી
(૭) કોઇ ખેતીની જમીન ઉપર ગણોત હક્ક પ્રાપ્તે કરવાથી
(૮) જમીનને તારણમાં મુકવા અગર જીબી ભરપાઇ થવાથી

(૯) દિવાની કોર્ટ ના હુકમનામાથી.

હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે.
હક્કપત્રક માટે મુખ્યા બે ફોર્મ્‍ ઠરાવાયા છે. એક ગામનો નમુના નં-૬ અને બીજો પાણીપત્રક ગામના નમુના નં-૭-૧ર , ગામના નમુના નં-૬ ડાયરી જેવું રજીસ્ટાર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્તબ થયેલ હક્કનો પ્રકાચર તથા કયા સરવે નંબરઃ પોત હિસ્સાા નંબરની અગર બ્લોબક ની જમીન ઉપર હક્ક પ્રાપ્તબ થયે / મલ્યોટ તેની યાદી વિગેરે બાબત આવે છે.
ગામ નમુના નંબર ૭ -૧ર એ હક્કપત્રક નું સાંકળીયુ છે. કેમ કે પ્્રગમાણિત થયેલ નોંધ નો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે. અને જે કબજેદારના હક્ક કમી થયા હોય તેને કેસ કરી નવા કબજેદારનું નામ દાખલ કરવામાં આવે છે.
નોંધ પ્રમાણિત થવાથી કોઇ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થઇ જાય છે.
નાં નોંધ પ્રમાણિત થવા છતાં કોઇ ગેરકાયદેસર વ્યવવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદેસર જ રહે છે.
એંટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ.
નાયબ મામલતદાર કક્ષા થી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઇપણ મહેસૂલી અધિકારી હકકપત્રકે ગામ નમુના નંઅ૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારી માં જિલ્લા જમીન દફતર નિરિક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે.
મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવલ કારકુન એટલે નાયબ મામલતદારને કલેકટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીમઓ પ્રમાણિત કરી શકે છે. સર્કલ ઓફીસર ને પણ એન્ટ્રી ઓ પ્રમાણિત કરવાની સત્તા છે.
તકરારી રજીસ્ટસરે સક્ષમ અધિકારી તર કથી લેવાયેલ નિર્ણય સામે કોઇ પક્ષકારને નપ્રપ્જગી અગર અસંતોષ હોય તો તે દુર કરવા કયી જાતની જોગવાઇ છે.?

મામલતદારશ્રી અગર સક્ષમ અધિકારીશ્રી ના નિર્ણય થી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણય ની જાણ થયાની તારીખથી ૬૦ દિવસ ની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રી ને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટ ના હુકમનામાં અન્વલયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફકત ઉપલી કોર્ટ માં જ અપીલ કરવાની રહે છે.
પ્રતિ અધિકારી/નાયબ કલેકટરશ્રીને કર વામાં આવેલી અપીલ માં સફળતા ન મળે તો શું કરવુ.
આવા કિસ્સાક માં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લાર કલેકટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે. અપીલ સામે પ્રાંત અધિકારીના હુકમની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહે છે.
જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય.
ગુજરાત જમીન મહેસૂલ નિયમ ૧૦૮ (પ) મુજબ કલેકટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઇ જોગવાઇ નથી. પરંતુ રાજય સરકારને આવા હુકમની કાયદેસરતા કે ઔચિત્ય તા વિષે પોતાની ખાતરી કરવા આવુ રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઇએ કે રદ કરવો જોઇએ તો રાજય સરકાર તે અંગે યોગ્ય્ લાગે તેવા હેકમ કરી શકે છે.
કોઇ ખેડૂત / વ્યકિત એ પોતાની જમીન અન્ય ખેડૂત ને તબદીલ કરવી હોય તો કોઇ બાબતમાં નિયંત્રણ છે.
હા, ગુજરાતના અનુસુચિત વિસ્ત ચર તરીકે જાહેર થયેલ વિસ્તા ર મા કોઇ આદિવાસી એ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતી ની જમીન બીજી કોઇ વ્યરકિત ને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પુર્વમંજુરી વિના તબદીલ કે વેચાણ થઇ શકતી નથી. અને જો આવી કાર્યવાહી પુર્વમંજુરી સિવાય કોઇપણ થઇ હોય તો ગેરકાયદેસર છે. આમા ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.