વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ?
અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.
ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.
વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?
સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.
તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની જરૂરિયાત હોય, તો મેહરબાની કરીને અમારો સંપર્ક કરવા વિનંતી ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.
ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.
વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?
સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.