શુક્રવાર, 27 ડિસેમ્બર, 2019

જમીન ઉપરના હક્કોમાં તથા તેની એન્ટ્રી માં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે. AHMEDABAD 9426497770 / 079-40099917

જમીન ઉપરના હક્કોમાં તથા તેની એન્ટ્રી માં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે.

(૧) કૌટુંબિક મૌખિક વહેંચણી
(ર) મોહમેડન લો અન્વરયેની બક્ષીથી તથા જવેવેચાણ, વેચાણ રીલીઝ , બક્ષીસ, ગીર, શાનગીરો, શરતી વેચાણના રજીસ્ટીર્ડ દસ્તાચવેજથી
(૩) હક્કપત્રકમાં જે વ્યમકિતનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઇ હક્કથી અગર ગુજરનારના રજીસ્ટયર્ડ કે અનરજીસ્ટકર્ડ (છેલ્લાી) વીલથી પ્રાપ્તર કરનારની અરજીથી
(4) સક્ષમ મહેસૂલ અધિકારીઓના કે સરકારશ્રી નાં હુકમો અન્વ યે સરકારી જમીન કાયમી ધોરણે કોઇપણ વ્યનકિત ને કે સંસ્થા્ને ગ્રાન્ટો થવાથી
(પ) ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાથી
(૬) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલપાત્ર સત્તા પ્રકારના એટલે જુની શરતમાં ફેરવવાથી
(૭) કોઇ ખેતીની જમીન ઉપર ગણોત હક્ક પ્રાપ્તે કરવાથી
(૮) જમીનને તારણમાં મુકવા અગર જીબી ભરપાઇ થવાથી

(૯) દિવાની કોર્ટ ના હુકમનામાથી.

હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે.
હક્કપત્રક માટે મુખ્યા બે ફોર્મ્‍ ઠરાવાયા છે. એક ગામનો નમુના નં-૬ અને બીજો પાણીપત્રક ગામના નમુના નં-૭-૧ર , ગામના નમુના નં-૬ ડાયરી જેવું રજીસ્ટાર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્તબ થયેલ હક્કનો પ્રકાચર તથા કયા સરવે નંબરઃ પોત હિસ્સાા નંબરની અગર બ્લોબક ની જમીન ઉપર હક્ક પ્રાપ્તબ થયે / મલ્યોટ તેની યાદી વિગેરે બાબત આવે છે.
ગામ નમુના નંબર ૭ -૧ર એ હક્કપત્રક નું સાંકળીયુ છે. કેમ કે પ્્રગમાણિત થયેલ નોંધ નો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે. અને જે કબજેદારના હક્ક કમી થયા હોય તેને કેસ કરી નવા કબજેદારનું નામ દાખલ કરવામાં આવે છે.
નોંધ પ્રમાણિત થવાથી કોઇ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થઇ જાય છે.
નાં નોંધ પ્રમાણિત થવા છતાં કોઇ ગેરકાયદેસર વ્યવવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદેસર જ રહે છે.
એંટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ.
નાયબ મામલતદાર કક્ષા થી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઇપણ મહેસૂલી અધિકારી હકકપત્રકે ગામ નમુના નંઅ૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારી માં જિલ્લા જમીન દફતર નિરિક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે.
મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવલ કારકુન એટલે નાયબ મામલતદારને કલેકટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીમઓ પ્રમાણિત કરી શકે છે. સર્કલ ઓફીસર ને પણ એન્ટ્રી ઓ પ્રમાણિત કરવાની સત્તા છે.
તકરારી રજીસ્ટસરે સક્ષમ અધિકારી તર કથી લેવાયેલ નિર્ણય સામે કોઇ પક્ષકારને નપ્રપ્જગી અગર અસંતોષ હોય તો તે દુર કરવા કયી જાતની જોગવાઇ છે.?

મામલતદારશ્રી અગર સક્ષમ અધિકારીશ્રી ના નિર્ણય થી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણય ની જાણ થયાની તારીખથી ૬૦ દિવસ ની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રી ને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટ ના હુકમનામાં અન્વલયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફકત ઉપલી કોર્ટ માં જ અપીલ કરવાની રહે છે.
પ્રતિ અધિકારી/નાયબ કલેકટરશ્રીને કર વામાં આવેલી અપીલ માં સફળતા ન મળે તો શું કરવુ.
આવા કિસ્સાક માં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લાર કલેકટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે. અપીલ સામે પ્રાંત અધિકારીના હુકમની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહે છે.
જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય.
ગુજરાત જમીન મહેસૂલ નિયમ ૧૦૮ (પ) મુજબ કલેકટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઇ જોગવાઇ નથી. પરંતુ રાજય સરકારને આવા હુકમની કાયદેસરતા કે ઔચિત્ય તા વિષે પોતાની ખાતરી કરવા આવુ રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઇએ કે રદ કરવો જોઇએ તો રાજય સરકાર તે અંગે યોગ્ય્ લાગે તેવા હેકમ કરી શકે છે.
કોઇ ખેડૂત / વ્યકિત એ પોતાની જમીન અન્ય ખેડૂત ને તબદીલ કરવી હોય તો કોઇ બાબતમાં નિયંત્રણ છે.
હા, ગુજરાતના અનુસુચિત વિસ્ત ચર તરીકે જાહેર થયેલ વિસ્તા ર મા કોઇ આદિવાસી એ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતી ની જમીન બીજી કોઇ વ્યરકિત ને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પુર્વમંજુરી વિના તબદીલ કે વેચાણ થઇ શકતી નથી. અને જો આવી કાર્યવાહી પુર્વમંજુરી સિવાય કોઇપણ થઇ હોય તો ગેરકાયદેસર છે. આમા ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.


સોમવાર, 4 નવેમ્બર, 2019

દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ AHMEDABAD 942649770 /079-40099917

દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ

જમીન / મિલકત તબદીલીને લગતા કોઈપણ પ્રકારના દસ્તાવેજો તે કરી આપનાર તથા તેવા દસ્તાવેજોમાં શાખ પૂરનાર સાહેદોને સમજાય તેવી ભાષામાં બનાવવા જોઈએ, કારણ કે તેવા દસ્તાવેજો જ્યારે ન્યાયની અદાલત સમક્ષ પુરવાર કરવા પડે ત્યારે જો દસ્તાવેજ કરનાર તથા સાહેદો દસ્તાવેજની ભાષા જાણતા ન હોય તો એ હકીકત પુરવાર કરવી મુશ્કેલ થઈ શકે કે તે દસ્તાવેજ તેમને વાંચી સંભળાવેલ તથા સમજાવેલ હતો. તેથી તેવી પરિસ્થિતિમાં તેવો દસ્તાવેજ ગેરકાયદેસર ઠરે છે. આથી મિલકત ટ્રાન્સફર સંબંધિત લખાણો, દસ્તાવેજો લખી આપનાર તથા તેમાં સાક્ષી તરીકે સહી કરનારાઓ સરળતાથી સમજી શકે તેવી ભાષામાં બનાવવા જોઈએ તેવો સિદ્ધાંત નામદાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સીવાકોટી દસરધરમ અને બીજા વિરુદ્ધ સીવાકોટી યોગાનંદમ અને બીજાના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસને સ્પર્શતી મુખ્યત્વે નોંધણી (રજિસ્ટ્રેશન) અધિનિયમ, ૧૯૦૮ની કલમ-૩૨ તથા ૩૩, કુલમુખત્યારનામાનો કાયદો, ૧૮૮૨ની કલમ-૨ તથા મિલકત તબદીલી અધિનિયમ, ૧૮૮૨ની કલમ-૩ અંગેની ચર્ચાઓ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી. આ કેસની હકીકત વિશેની ટૂંકમાં ચર્ચા તથા ઉપરોક્ત દર્શાવેલ કાયદાકીય જોગવાઈઓની માહિતી આજરોજ પ્રસ્તુત કરેલ છે.
લક્ષ્મી નરસિંહમ અને હૈમાવથી સંતાન વિહોણા પતિ-પત્ની હતાં. સીવાકોટી દસરધરમ તેમના દત્તક પુત્ર હતા, કે જે દત્તક વિધાન સને ૧૯૩૩માં થયેલું. સીવાકોટી દસરધરમના લગ્ન પહેલાં તેના પિતા લક્ષ્મી નરસિંહમને તેની સાથે તા. ૧૨-૨-૧૯૫૬ના રોજ પાર્ટીશન યાને વહેંચણ કરેલું અને તે પાર્ટીશન મુજબ સીવાકોટી દસરધરમને બે મકાનો મળેલા જ્યારે બીજી ઘણી મિલકતો તેના પિતા લક્ષ્મી ખાતે ગયેલી. ત્યાર બાદ લક્ષ્મીએ તા. ૨૬-૫-૧૯૬૯ના રોજ એક રજિસ્ટર્ડ વીલ દ્વારા રહેઠાણનું મકાન તેની પત્ની હૈમાવથીને આપેલી અને હૈમાવથીના મૃત્યુ બાદ પુત્ર સીવાકોટી દસરધરમના બાળકોને અમુક મિલકતો ઉત્તરદાનમાં મળે તેવી વ્યવસ્થા વીલમાં કરેલી. ત્યાર બાદ સીવાકોટી દસરધરમ તા. ૭-૩-૧૯૭૫ના રોજ તથા તેની માતા હૈમાવથી પણ તા. ૬-૪-૧૯૭૮ના રોજ અવસાન પામેલા. હૈમાવથીને પોતાના પતિ લક્ષ્મી દ્વારા તા. ૨૬-૫-૧૯૬૯ના રોજ રજિસ્ટર્ડ વીલ દ્વારા જે મિલકતો આપવામાં આવેલ હતી તે મિલકતો અંગે હૈમાવથીએ પોતાના મૃત્યુ પહેલાં "શ્રી લક્ષ્મી નરસિંહમ કલ્યાણ મંદિરમ્ ટ્રસ્ટ" નામનું ટ્રસ્ટ તા. ૧૬-૧૨-૧૯૭૫ના રોજ રજિસ્ટર્ડ ટ્રસ્ટડીડથી બનાવેલું. જેમાં આજીવન અને એકમાત્ર ટ્રસ્ટી તરીકે પોતાને જ નિયુક્ત કરેલા અને હૈમાવથીએ તેમના કારકુનની તરફેણમાં તા. ૧૯-૨-૧૯૭૬ના રોજ તેવા દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી કરાવવા માટે કુલમુખત્યારનામું લખી આપેલું અને તેવા કુલમુખત્યારનામાના અનુસંધાને તેમણે તા. ૪-૩-૧૯૭૬ના રોજ ટ્રસ્ટડીડ નોંધણી માટે ઓથોરિટી સમક્ષ રજૂ કરેલું જેને ઓથોરિટી દ્વારા તા. ૯-૧૧-૧૯૭૬ના રોજ નોંધણી કરવામાં આવેલું. હૈમાવથીએ પોતાના મૃત્યુ પહેલાં તા. ૯-૭-૧૯૭૭ના રોજ તેના પુત્ર સીવાકોટી દસરધરમ અને પ્રતિવાદી નં. ૧થી ૪ને ટ્રસ્ટીઓ તરીકે નિમેલા હતા.
ત્યાર બાદ મર્હુમ હૈમાવથીએ તા. ૧૬-૧૨-૧૯૭૫ના રોજ કરેલ ટ્રસ્ટડીડને રદ કરવા અને દાવામાં જણાવેલી મિલકતોનો કબજો મેળવવા અને નાણાંની વસૂલાત અંગેનો સિવિલ દાવો સીવાકોટી દસરધરમે પોતાના પિતા લક્ષ્મીના મામા તથા અન્ય સગાં-સંબંધીઓ અને હૈમાવથીના ભાઈ વગેરે વિરુદ્ધ દાવાઓ દાખલ કરેલ. જેમાં નીચલી કોર્ટ સમક્ષ ઘણાં બધાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા હતા અને સાથીઓને પણ તપાસવામાં આવેલ હતા. ત્યાર બાદ નીચલી કોર્ટે તે દાવાઓ ડિસમિસ કરવાનો હુકમ કરેલ. આ કેસની મુખ્ય તકરાર દાવામાં રજૂ થયેલ ટ્રસ્ટડીડના ખરાપણાં વિશેની હતી. ટ્રસ્ટડીડનાં લેખમાં 'નવેમ્બર' માસ છેકી કાઢીને 'ડિસેમ્બર' માસ લખવામાં આવેલ હતું. આ ઉપરાંત ટ્રસ્ટડીડમાં ઘણી જગ્યાએ છેકછાક અને સુધારા-વધારા કરવામાં આવેલા હતા. વધુમાં ટ્રસ્ટડીડની નોંધણી માટે કુલમુખત્યાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
જેમાં નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જો કોઈ પક્ષકાર કોઈ બોન્ડ કે અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે આપણા દેશમાં જ થયેલ હોય અને જો તેમાં કોઈ કોર્ટને માલૂમ પડે કે જો કોઈપણ પ્રકારે સુધારા-વધારા કરેલ હોવાનું કોર્ટના ધ્યાને આવે કોર્ટ તેવા દસ્તાવેજનો અસ્વીકાર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધારા-વધારા બાબતે સાક્ષીઓ બોલાવી, તપાસી તેવા દસ્તાવેજની યોગ્યતા અને ખરાઈ અંગે યોગ્ય પુરાવા લઈ નિર્ણય કરી શકે છે. જ્યારે કોઈ કેસમાં પુરાવા રેકર્ડ ઉપર હોય ત્યારે કોર્ટ સમક્ષ રજૂ થયેલ પુરાવાઓ અને દસ્તાવેજોમાં સુધારા-વધારા માટે પૂર્વસંમતિ અને સ્વીકાર કરવામાં આવેલ છે તે બાબતની કોઈ સાબિતી થઈ શકે નહીં.
આમ, નામદાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં સ્પષ્ટપણે જણાવેલ કે, જમીન / મિલકત તબદીલીને લગતા કોઈપણ પ્રકારના દસ્તાવેજો તે કરી આપનાર તથા તેવા દસ્તાવેજોમાં શાખ પૂરનાર સાહેદોને સમજાય તેવી ભાષામાં બનાવવા જોઈએ, કારણ કે તેવા દસ્તાવેજો જ્યારે ન્યાયની અદાલત સમક્ષ પુરવાર કરવા પડે ત્યારે જો દસ્તાવેજ કરનાર તથા સાહેદો દસ્તાવેજની ભાષા જાણતા ન હોય તો એ હકીકત પુરવાર કરવી મુશ્કેલ થઈ શકે છે કે તે દસ્તાવેજ તેમને વાંચી સંભળાવેલ તથા સમજાવેલ હતો. તેથી તેવી પરિસ્થિતિમાં તેવો દસ્તાવેજ ગેરકાયદેસર ઠરે છે. આથી મિલકત ટ્રાન્સફર સંબંધિત લખાણો, દસ્તાવેજો લખી આપનાર તથા તેમાં સાક્ષી તરીકે સહી કરનારાઓ સરળતાથી સમજી શકે તેવી ભાષામાં બનાવવા જોઈએ. જો કોઈ પક્ષકાર કોઈ બોન્ડ કે અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે આપણા દેશમાં જ થયેલ હોય અને જો તેમાં કોઈ કોર્ટને માલૂમ પડે કે જો કોઈપણ પ્રકારે સુધારા-વધારા કરેલ હોવાનું કોર્ટના ધ્યાને આવે કોર્ટ તેવા દસ્તાવેજનો અસ્વીકાર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધારા-વધારા બાબતે સાક્ષીઓ બોલાવી, તપાસી તેવા દસ્તાવેજની યોગ્યતા અને ખરાઈ અંગે યોગ્ય પુરાવા લઈ નિર્ણય કરી શકે છે. જ્યારે કોઈ કેસમાં પુરાવા રેકર્ડ ઉપર હોય ત્યારે કોર્ટ સમક્ષ રજૂ થયેલ પુરાવાઓ અને દસ્તાવેજોમાં સુધારા-વધારા માટે પૂર્વસંમતિ અને સ્વીકાર કરવામાં આવેલ છે તે બાબતની કોઈ સાબિતી થઈ શકે નહીં.

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
  • Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  •  સોગંદનામું / Affidavit 
  • જન્મ પ્રમાણપત્ર/ birth certificate
  • લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
  • પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir 
  • નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
  • Land revenue records and updation, pedigree  
  • પાન કાર્ડ નવા / કરેક્શન
  • GST return filing (through C.A.)
  • આવકવેરા રીટર્ન/ Income tax return
  • કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents 
  • મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  • વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents 


અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો

સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.

અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com

સોમવાર, 14 ઑક્ટોબર, 2019

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ? AHMEDABAD 9426497770 / 079-40099917

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ?

અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય‍ વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.

ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.

 વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?

સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.



તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
  • Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  •  સોગંદનામું / Affidavit 
  • જન્મ પ્રમાણપત્ર/ birth certificate
  • લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
  • પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir 
  • નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
  • Land revenue records and updation, pedigree  
  • પાન કાર્ડ નવા / કરેક્શન
  • GST return filing (through C.A.)
  • આવકવેરા રીટર્ન/ Income tax return
  • કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents 
  • મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  • વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents 

અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office: VERITAS THE TEAM127,Sahajanand ParkNr Swaminarayan TempleShahibaug Ahmedabad 380004Ph: 079-40099917,9426497770Mail :veritas.smeet@gmail.comwww.veritastheteam.com

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2019

જમીન ની તકરાર અંગે ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ? Ahmedababd 9426497770 / 079-40099917

જમીન ની તકરાર અંગે ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ?


પ્રસ્તાવના

ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) તરીકે ઓળખાતી આ કચેરી સને ૧૯૬૪ માં અસ્તિત્વમાં આવી છે. આ કચેરી મહેસુલ વિભાગનો એક પ્રભાગ છે. જીલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો/નિર્ણયો સામે કાયદાકીય રીતે આ કચેરી અપીલ/રિવિઝનનું કામ કરે છે.
રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં મહેસુલી અધિકારીઓએ જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ અનુસાર કરેલા હુકમોને કાયદા મુજબ એપેલેટ/રિવિઝનની કામગીરી કરવા સારૂ સને ૧૯૬૪માં ખાસ સચિવની નિમણુંક કરી ખાસ સચિવને એપેલેટ/રિવિઝનની સત્તા રૂલ્સ ઓફ બીઝનેસ મુજબ આપી અને ત્યારથી આ કચેરી કલેક્ટરશ્રીઓ તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓએ કરેલ હુકમો સામે દાખલ થતી અપીલ/રીવિઝનની કામગીરી કરે છે.

ઉદ્દેશો અને હેતુઓ

પક્ષકારોને યોગ્ય ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તથા આધુનિક ટેકનોલોજીની મદદથી પારદર્શક તથા ગતિશીલ વહીવટ માટે સતત પ્રયત્ન ચાલુમાં છે.

વિભાગના મુખ્ય કાર્યો

૧. - જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૧૧ હેઠળ રિવિઝન કરવામાં આવે છે.

૨. - રૂલ્સ ઓફ બીઝનેસ, ૧૯૯૦ અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગએ હુકમ ક્રમાંક : ઓએફએમ-૧૦૨૦૧૩/૧૦૫૫/બી, તા.૧૯/૦૧/૨૦૧૫ થી શીડયુલ-૩ અને ૭ બહાર પાડેલ છે. જે અન્વયે અત્રેને અપીલ/રિવિઝનના કેસોમાં નિર્ણય લેવાની સત્તાઓ આપેલ છે. અત્રેને જે કાયદાકીય સત્તાઓ આપવામાં આવેલ છે તે નીચે મુજબ છે.

પ્રક્રિયા

જમીન મહેસુલ અધિનિયમ ૧૯૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ તથા અન્ય કાયદા હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે અપીલ/રિવિઝન કરવામાં આવે છે.


ફોર્મસ


અરજદાર અત્રે જે વાદગ્રસ્ત હુકમથી નારાજ થયેલ હોય અને તેની સામે અપીલ/રિવિઝન કરવા માંગતા હોય તો તેઓ લેખિતમાં તેઓની રજૂઆત અરજી આપી શકે છે. આ માટે કોઈ નિયત ફોર્મ નથી.
અનુ. ક્ર.માહિતીડાઉનલોડ
ચેક લીસ્ટ
ડાઉનલોડ [Gujarati] [307 KB]
એકરારનો નમુનો
ડાઉનલોડ [Gujarati] [230 KB]

અહિયાં  નીચે મુજબ અરજઅપીલ અને રીવીઝન કરી શકાય છે :



શીડયુલ - VII
ક્રમ નં.વિગત
૧.જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અન્વયે કલમ-૨૦૩,૨૦૪,૨૧૧ હેઠળ અપીલ અને રીવીઝન
૨.ગુજરાત મહેસૂલ નિયમો-૧૯૭૨ અપીલ નિયમ ૧૦૮(૬ એ) અન્વયે રીવીઝન
૩.મુંબઈના ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબત કાયદો-૧૯૪૭ ની કલમ-૩૫ હેઠળ રીવીઝન
૪.ગુજરાતનો કોર્ટ ઓફ વોડ્ઝ કાયદો-૧૯૬૩ કલમ ૪૧-૪૨ હેઠળ અપીલ/રીવીઝન
૫.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૩૨ P U/S(9) & (10) હેઠળ અપીલ
૬.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૬AA હેઠળ રીવીઝન
૭.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૩A(૩) હેઠળ રીવીઝન
૮.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો (વિદર્ભ અને કચ્છ વિસ્તારને લાગુ) કાયદો-૧૯૫૮ કલમ ૧૦૬A(3) હેઠળ રીવીઝન
૯.ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા બાબતનો ૧૯૬૦ ના કાયદાની કલમ-૨(૩) અન્વયે અપીલ/ફેરતપાસ
૧૦.મુંબઈ કચ્છ વિસ્તાર માટેની ઈનામી નાબૂદી ધારો-૧૯૫૮ ની કલમ ૩(૨), ૩(૩) અપીલ/રીવીઝન
૧૧.મહેસૂલ ખાતાના ઠરાવ નં એલટીએ/૧૦૫૮/આઈએક્સવી/૪૪૬એલ. તા. ૨૫/૬/૫૯ તથા લીગલ ડીપાર્ટમેન્ટના નં. એલટીએ/૧૦૬૧/૯૬૩૩૧ જે તા: ૨૬/૧૧/૬૨, RULES-5 અન્વયે અપીલ
૧૨.મુંબઈનો તાલુકાદારી હિત સંબંધી નાબૂદી કાયદો ૧૯૪૯ ની કલમ ૪ અને ૫ (એ) અન્વયે અપીલ
૧૩.સાગબારા અને મેવાસી જાગીર માલિકી હકક નાબૂદ કરવા વિ. બાબતો ૧૯૬૨ ના રેગ્યુલેશનની કલમ-૩ અન્વયે અપીલ

શીડયુલ - III
ક્રમ નં.વિગત
૧.ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ-૧૯૬૩ ની કલમ-૮૧ (૨) હેઠળ અપીલ
૨.ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ ની કલમ ૧૧૩(૨) હેઠળ અપીલ
૩.ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવીકેશન ફ્રોમ પ્રીમાઈસીસ ઈનડીસ્ટ્રીબ્યુટેડ એરીયા કાયદા-૧૯૮૬ ની કલમ ૬, હેઠળ અપીલ
૪.ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફોમ ઈવીકેશન ફોર્મ પ્રીમાઈસ ઈન ડીસ્તબર્ડ એરીયા કાયદા-૧૯૯૧, ૭(D)(2) હેઠળ ની કલમ
૫.ધી મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદા-૧૯૪૮ અન્વયે કલમ ૬૩(A)(A), 3(ડી)૧ અન્વયે અપીલ
૬.ધી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત પતાવટ અને ખેતી ઓર્ડીનન્સ-૧૯૪૮ ની કલમ-૫૪ અને ૭૫ હેઠળ અપીલ અરજી

જાણો નવી શરત - જુની શરત શું છે? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…
1. જૂની શરતની જમીન
2. નવી શરતની જમીન
3. ગણોતધારાની જમીન
4. ૭૩ એએ-આદિવાસીની જમીન
5. બિનખેતીની જમીન
A. જૂની શરતની જમીન એટલે શું ? :
સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.
B. નવી શરતની જમીન :
નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.
સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.
     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.
C. નવી શરતની જમીન પટે આપવા બાબત :
સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય
1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.
2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.
3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.
D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :
નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.
ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.
E. નવી શરતની જમીનનો અદલા-બદલો :
નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.
F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :
નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.
G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :
1. નવી શરતની જમીન પરની લોન :
નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.
2. સહકારી જમીન અને નવી શરતની જમીન :
સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.
3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :
જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.
ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર
1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.
2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.
3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.
H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :
1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.
2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.
3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.
I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :
નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.
જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે

હક્કપત્રકમાં જુદા જુદા પ્રકારની નોંધ દાખલ કરવા માટેના જરૂરી પુરાવા


1. ખેતીની જમીનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ  (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.)
3. વારસાગત ખેડુતોનો પુરાવો
4. ખરીદી પ્રમાણપત્ર
5. ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
2. બિન ખેતીની જમીનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.
3. વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ)
4. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
5. બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ
6. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ
3. બિન ખેતીની પ્લોટનુ વેચાણ :
1. દસ્તાવેજની નકલ
2. ઈન્ડેક્ષની અસલ નકલ
3. વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ  એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી)
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ
4. વારસાઈ વીલ :
1. પેઢીનામુ-પંચકયા
2. bમરણનો દાખલો
3. વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ
4. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ5. વહંેચણી
5. નોટરી રૂબરૂ કરેલ વહંેચણી કરાર
6. પક્ષકારો નો જવાબ
7. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
5. સામાયીક પણામાં નામ :
1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. પેઢીનામુ
4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
6. હક્ક કમી :
1. નોટરી રૂબરૂ કરેલ કરાર
2. પક્ષકારોનો જવાબ
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
7. બોજો દાખલ :
1. બેંક/ સંસ્થાનુ ડેકલ્ેારેશન
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
8.બોજો કમી :
1. બેંક/ સંસ્થાનુ બોજ કમી
2. ડેકલ્ેારેશન
3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
9. ટુકડા મુકિત :
1. સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર
2. છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ
3. પંચનામુ
4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
10. બિન ખેતીની નોંઘ :
1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. મંજુર કરેલ લે-આઉટ પ્લાન
3. ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ.
11. હુકમ નોંઘ :
1. સક્ષમ અઘિકારોનો હુકમ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
12. સુઘારા નોંઘ :
1. સુઘારાની વિગત
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
13. અન્ય :
1. પ્રક્રાર મુજબ દસ્તાવેજ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
14. મોર્ગેજ :
1. મોર્ગેજ ડીડ
2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે

  1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  2. નોટરી / સોગંદનામું
  3. જન્મ પ્રમાણપત્ર
  4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
  6. નામ ટ્રાન્સફર વીજળી , મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
  7. પાન કાર્ડ નવા / કરેક્શન
  8. gst return filing (through C A)
  9. આવકવેરા રીટર્ન
  10. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
  11. મની લોન્ડરિંગ લાયસન્સ
  12. આરોગ્ય લાઇસન્સ
  13. વ્યાવસાયિક કર
  14. નિકાસ આયાત લાઈસન્સ
  15. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
  16. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  17. વેચાણ કરાર, વેચાણ ખત
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com